બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે તારિક રહેમાન શપથ ગ્રહણ કરી ચૂક્યા છે. તેમની સાથે અનેક મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, તારિક રહેમાનના મંત્રીમંડળમાં એક હિન્દુ અને એક બૌદ્ધ નેતાને પણ સ્થાન મળ્યું છે. અહેવાલો અનુસાર, તારિકની સરકારમાં હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરી અને બૌદ્ધ નેતા દીપેન દીવાન ચકમાએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
નિતાઈ રોય ચૌધરી બીએનપીની ટોચની નીતિ-નિર્માણ સ્થાયી સમિતિના સભ્ય છે, જ્યારે નિતાઈ રોય ચૌધરી પાર્ટીના મુખ્ય ઉપપ્રમુખોમાંના એક છે, તેમજ તેના ટોચના નેતૃત્વના વરિષ્ઠ સલાહકાર અને વ્યૂહરચનાકાર પણ છે. નિતાઈ રોય ચૌધરીએ બીએનપીની ટિકિટ પર પશ્ચિમ મગુરા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી, જેમાં તેમણે જમાત-એ-ઈસ્લામીના ઉમેદવારને હરાવ્યા હતા. જાન્યુઆરી 1949માં જન્મેલા નિતાઈ રોય ચૌધરી બાંગ્લાદેશના એક પ્રખ્યાત વકીલ છે. તેઓ અગાઉ સંસદ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.
બૌદ્ધ બહુમતી ધરાવતા ચકમા વંશીય લઘુમતી જૂથના દીપેન દીવાન ચમકા, દક્ષિણપૂર્વ રંગમાટી હિલ્સ જિલ્લાના એક મતવિસ્તારમાંથી જીત્યા હતા. દીપેન દીવાન ચમકા, દક્ષિણપૂર્વ રંગમાટી હિલ્સ જિલ્લાના એક મતવિસ્તારમાંથી જીત્યા હતા, તેમણે એક સ્વતંત્ર ચકમા ઉમેદવારને હરાવ્યો હતો. તેઓ એક વકીલ અને રાજકારણી છે. તેમનો જન્મ 8 જૂન, 1963 ના રોજ રંગમાટીમાં થયો હતો. તેઓ બૌદ્ધ બહુમતી ધરાવતા ચકમા વંશીય જૂથના છે અને રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના આદિવાસી બાબતોના ભૂતપૂર્વ સલાહકાર સુબિમલ દીવાનના પુત્ર છે.
હકીકતમાં, બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓમાં લઘુમતી સમુદાયના ચાર ઉમેદવારોએ જીત મેળવી હતી. વિજયી ઉમેદવારોમાં બે હિન્દુ અને બે બૌદ્ધ નેતાઓ હતા. આમાંથી એક હિન્દુ અને એક બૌદ્ધ નેતાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. સામાન્ય ચૂંટણીઓમાં જીતનારા ચારેય લઘુમતી નેતાઓ બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ના ઉમેદવારો હતા. ચૂંટણી જીતનારા હિન્દુ નેતાઓમાં ગાયેશ્વર ચંદ્ર રોય અને નિતાઈ રોય ચૌધરીનો સમાવેશ થાય છે, જ્યારે બે બૌદ્ધ નેતાઓ સચિન પ્રુ અને દિપેન દીવાન ચકમાનો સમાવેશ થાય છે.

