દેશમાં ગેસ સિલિન્ડરની અછત હોવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે દેશમાં LPG સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને પર્યાપ્ત છે. નાગરિકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કે ગભરાઈને વધારાની ખરીદી કરવાની જરૂર નથી."સરકારે એક મહત્વનો આંકડો પણ જાહેર કર્યો છે. હવે દેશના 95% ગ્રાહકો ગેસ બુકિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ, SMS અને મોબાઈલ એપ્સના માધ્યમથી થતા બુકિંગને કારણે હવે ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર રહી નથી. સરકાર પોતે વિતરણ નેટવર્ક પર સતત દેખરેખ રાખી રહી છે જેથી દરેક ઘર સુધી અવિરતપણે રાંધણ ગેસ પહોંચી શકે."મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે વિતરણ વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે, તેથી ગભરાઈને ગેસનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. આધુનિક ટેકનોલોજીના કારણે ગેસ ડિલિવરી હવે પહેલા કરતા વધુ ઝડપી અને પારદર્શક બની છે.
LPG સિલિન્ડરને લઈ સરકારની મોટી સ્પષ્ટતા: દેશમાં ગેસની કોઈ અછત નથી, અફવાઓથી દૂર રહો

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયફાલતા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય
3 દિવસ પહેલા
રાષ્ટ્રીયપશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામ, ભાજપ અને TMC ને કેટલી બેઠકો મળી
3 દિવસ પહેલા
રાષ્ટ્રીયદિલ્હીથી કચ્છ માટે નવી ટ્રેન શરૂ, જાણો શું છે ટાઇમ-ટેબલ, કયા સ્ટેશનો પર રોકાશે?
3 દિવસ પહેલા
રાષ્ટ્રીયગંગા એક્સપ્રેસવેના કારણે લોજિસ્ટિક્સ પર ₹30,000 કરોડ સુધીની મોટી બચત થશે, સરકારને ₹46,660 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા
3 દિવસ પહેલા
