દેશમાં ગેસ સિલિન્ડરની અછત હોવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે દેશમાં LPG સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને પર્યાપ્ત છે. નાગરિકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કે ગભરાઈને વધારાની ખરીદી કરવાની જરૂર નથી."સરકારે એક મહત્વનો આંકડો પણ જાહેર કર્યો છે. હવે દેશના 95% ગ્રાહકો ગેસ બુકિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ, SMS અને મોબાઈલ એપ્સના માધ્યમથી થતા બુકિંગને કારણે હવે ગેસ એજન્સીઓ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર રહી નથી. સરકાર પોતે વિતરણ નેટવર્ક પર સતત દેખરેખ રાખી રહી છે જેથી દરેક ઘર સુધી અવિરતપણે રાંધણ ગેસ પહોંચી શકે."મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે વિતરણ વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે, તેથી ગભરાઈને ગેસનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. આધુનિક ટેકનોલોજીના કારણે ગેસ ડિલિવરી હવે પહેલા કરતા વધુ ઝડપી અને પારદર્શક બની છે.
LPG સિલિન્ડરને લઈ સરકારની મોટી સ્પષ્ટતા: દેશમાં ગેસની કોઈ અછત નથી, અફવાઓથી દૂર રહો

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયફ્રાન્સમાં ભારત ઇનોવેટ્સ ઇવેન્ટ: "ભારતની પ્રાથમિકતા માનવ-આધારિત ટેકનોલોજી છે"
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયદહેરાદૂનમાં એક હિન્દુ યુવાનની હત્યાના મામલે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ આરોપીના ઘરને આગ લગાવી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયબળવાખોર ટીએમસી સાંસદો આજે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરશે
2 દિવસ પહેલા
