રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
વાવ-થરાદ14 એપ્રિલ, 2026| Super Admin

લોકશાહીનો ઉત્સવ : વાવ-થરાદમાં ચૂંટણીનો ગરમાવો; મતાધિકારનો ઉપયોગ કરવા તંત્રની અનોખી અપીલ

લોકશાહીનો ઉત્સવ : વાવ-થરાદમાં ચૂંટણીનો ગરમાવો; મતાધિકારનો ઉપયોગ કરવા તંત્રની અનોખી અપીલ

 નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તથા સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર હોઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ (SVEP) સ્ટેટ વોટર્સ આવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

થરાદ શહેરના હાર્દ સમા વિસ્તારમાં નગરપાલિકા વિસ્તાર તથા બસ સ્ટેશન વિસ્તારમાં તાલુકા નોડેલ કરસનભાઈ પરમાર અને જિલ્લા સહ નોડેલ  દિનેશકુમાર ત્રિવેદી દ્વારા વિવિધ બેનરો સાથે મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાવ થરાદ જિલ્લાના મતદાર જાગૃતિ કાર્યક્રમના નોડેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.હિતેશ પટેલ દ્વારા પરિપત્ર કરીને વાવ થરાદ જિલ્લાની તમામ શાળાઓમાં તા. 24/04/2026 સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા માટે જાણ કરવામાં આવેલ છે. વાવ થરાદ વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોમાં અવારનેશ આવે તથા મતદાન જાગૃતિ પ્રત્યે પ્રેરિત થાય અને ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય તે માટેના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સહાનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર