રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંગઠનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
પાટણ શહેર અને જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતિ પવૅ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બગવાડા દરવાજા પાસે સ્થાપિત ડો. બાબાસાહેબ ની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ અનુસૂચિત જાતિ સમાજના સંગઠનો તથા પક્ષોના હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે "જબ તક સુરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા" જેવા નારા ગુંજી ઉઠ્યા હતા.શહેર ભાજપ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા પ્રમુખ,શહેર પ્રમુખ,પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને તેમના સમર્થકો એ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતાં.
પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ 14મી એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,જિલ્લા કોગ્રેસ પ્રમુખ,શહેર પ્રમુખ સહિત ચૂંટણી લડતા ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.





