મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCP (SP) પાર્ટીના વડા શરદ પવારની તબિયત લથડી હોવાના અહેવાલ છે. પવારને તાવ અને ગળામાં ચેપ લાગ્યો છે, ત્યારબાદ તેમને પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ, એવા અહેવાલ હતા કે પવાર શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફને કારણે બારામતીથી પુણે ગયા હતા. સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પણ તેમની સાથે છે.
શરદ પવાર ૮૫ વર્ષના છે અને હાલમાં રાજ્યસભાના સભ્ય છે. તેઓ એનસીપીના સ્થાપક હતા. જોકે, થોડા વર્ષો પહેલા, એનસીપીમાં ભાગલા પડ્યા હતા, અને મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ મહાયુતિ ગઠબંધનમાં જોડાયા હતા. ત્યારબાદ, શરદ પવારે પોતાનો નવો પક્ષ, એનસીપી (શરદ ચંદ્ર પવાર) બનાવ્યો અને નવા ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી.
તાજેતરમાં, 28 જાન્યુઆરીના રોજ, શરદ પવારના ભત્રીજા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. જોકે, તેમનું વિમાન બારામતી એરપોર્ટ પર ક્રેશ થયું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે.

