(જી.એન.એસ) તા. ૨૬
ગાંધીનગર,
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વના ઘટનાક્રમમાં રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી હતી આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી – રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખરીફ અને રવી ઋતુ માટે એકર દીઠ રૂપિયા બે હજારની સહાય અપાય છે
ત્રણ ગ્રામ પંચાયતો દીઠ એક ક્લસ્ટર અન્વયે સમગ્ર રાજ્યમાં 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છુક ખેડૂતોને તાલીમ-માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોએ ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો આત્મસંતોષ મળે તેવું કામ કર્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે બેક ટુ બેઝિક અપનાવી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં અપનાવવા આહવાન કર્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

