રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા20 મે, 2026| Super Admin

અમીરગઢ તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો

    અમીરગઢ તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો

   અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ. પ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થતા અમીરગઢ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.  આગામી 25 મે 2026 તારીખે તાલુકા પ્રમુખ ની ચૂંટણી જાહેર થવાની છે. અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય ગરમાવો લોકોમાં જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. અમીરગઢ તાલુકા પંચાયતના ચાર ડેલિગેટના  પ્રમુખ પદ માટેના નામ સંભવિત યાદીમાં આવતા લોકોની નજરો હવે તાલુકા પંચાયતની ચૂંટણી પર રહેશે. અમીરગઢ તાલુકા પ્રમુખ પદ માટે અત્યાર સુધી કુલ ચાર ડેલિગેટના નામ  સામે આવ્યા છે. 

જેમાં ભમરસિંહ ડાભી, અમીરગઢ સીટ 161વોટ ની લીડ ,ધનાભાઇ ભીલ1364 વોટની લીડ, ભાવાભાઇ રબારી ખુણીયા સીટ 919 વોટની લીડ અને મોતીભાઈ ટાયવરે 47 વોટની લીડથી થયા હતા વિજેતા  હવે તાલુકા પંચાયતના પ્રમુખ પદની ખુરશી પર કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ બન્યું છે. સ્થાનિક રાજકારણમાં અંદરની ખેંચતાણ અને સમીકરણો વચ્ચે હવે દરેકની નજર આવનારી ચૂંટણી પ્રક્રિયા પર ટકેલી છે.

  અમીરગઢ તાલુકાની 2026 ની ચૂંટણીમાં બીજેપી 12 સભ્યોની બહુમતી મળેલી છે.આ વખતે  જનરલ સીટ પ્રમુખ પદ માટે છે. પરંતુ 12 સભ્યોમાંથી  કોઈપણ જનરલ ઉમેદવાર નથી.જેમાં ત્રણ બક્ષીપંચના ડેલિકેટ છે અને નવ એસટી આદિવાસી સમાજના તો એક દરબાર સમાજના ડેલિગેટ છૅ..

 

સંબંધિત સમાચાર