રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

ડીસા પંથકમાં વાતાવરણ પલટાયું : ઝરમર વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર

ડીસા પંથકમાં વાતાવરણ પલટાયું : ઝરમર વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર

​ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતાં અને પવન ફૂંકાતા ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ડીસા શહેર તેમજ થેરવાડા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ પડતા તૈયાર પાકને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.

​​છેલ્લા કેટલાક સમયથી મહેનત કરીને પકવેલો પાક જ્યારે લણણીના આરે છે, ત્યારે જ કુદરતે મિજાજ બદલતા ખેતી પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે ​જીરું, વરિયાળી અને રાયડા જેવા રોકડિયા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ખેતરમાં કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા ખેડૂતોએ ભારે જહેમત ઉઠાવી હતી.​માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં રહેલો માલ પલળી ન જાય તે માટે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ જોવા મળી હતી.​પાક વેચવા માટે ખેડૂતોની ઉતાવળ ​સંભવિત માવઠાના કારણે પાકની ગુણવત્તા બગડવાની બીકે અને આર્થિક નુકસાનથી બચવા માટે ખેડૂતો ઉતાવળે પાક લણીને વેચવા માટે મજબૂર બન્યા છે. ડીસા પંથકમાં ઝરમર વરસાદના સમાચાર વહેતા થતા જ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના કામકાજમાં તેજી જોવા મળી હતી. ખેડૂતો અત્યારે માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા વિરામ લે અને પાક સુરક્ષિત રીતે ઘરે આવી જાય.

સંબંધિત સમાચાર