રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા2 મે, 2026| Super Admin

મંત્રી જગદીશ વિશ્વકર્માના નિવેદનથી રાજકીય વંટોળ : ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર

બનાસકાંઠા/પાલનપુર: બનાસકાંઠાની ધરતી પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને મહિલાઓ સંદર્ભે કરવામાં આવેલી ટિપ્પણીએ રાજ્યભરમાં વિવાદનું મધપૂડો છંછેડ્યો છે. આ નિવેદનને અપમાનજનક ગણાવી કોંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને ગેનીબેન ઠાકોરે આકરા પ્રહારો કર્યા છે.

વિવાદનું કારણ: જગદીશ વિશ્વકર્માએ એક નિવેદન દરમિયાન જણાવ્યું હતું કે, "ભાજપનો બૂથનો કાર્યકર્તા તમારા સાડીના પલ્લુમાં બાંધેલી સીટો આંચકી અને ભગવો લહેરાવીને આવ્યો છે." આ નિવેદનને મહિલાઓના સન્માન સાથે જોડીને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.

સાંસદ ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર: મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે:

  • સત્તાનો અહંકાર: ભાજપના નેતાઓમાં સત્તાનો અહંકાર આવી ગયો છે, જેના કારણે તેઓ મહિલાઓ વિશે મર્યાદા બહારની ભાષા વાપરી રહ્યા છે.
  • ચૂંટણી ચેલેન્જ: ગેનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠા બેઠક પરથી લડી બતાવો.
  • જનતાનો જવાબ: તેમણે ઉમેર્યું હતું કે બનાસકાંઠાનું પાણી શું છે અને જનતા અહંકારી નેતાઓને કેવી રીતે પાઠ ભણાવે છે, તે 2027માં સાબિત થઈ જશે.


કોંગ્રેસનું સમર્થન: આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ જગદીશ વિશ્વકર્માના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને કોઈ પણ પક્ષના નેતાએ વિપક્ષી મહિલા નેતાઓ વિશે વાત કરતી વખતે સંયમ જાળવવો જોઈએ. આ નિવેદન બાદ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ આ વિવાદે જોર પકડ્યું છે.

સંબંધિત સમાચાર