ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી મુસાફરો ભરેલી જીપ અને બાઈક વચ્ચે પ્રથમ અકસ્માત થયો હતો. ત્યાર બાદ જીપ ડિવાઈડર કૂદીને સામેથી આવતી અંબાજી-વડોદરા એસટી બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર મુસાફરો પૈકી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. બે વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સાત ઈજાગ્રસ્તોને પ્રથમ ખેડબ્રહ્મા સિવિલમાં અને ત્યાર બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા દર્દીઓમાંથી પોશીના તાલુકાના ટેબડા ગામના 44 વર્ષીય ઈશ્વરભાઈ ભાડુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે કુલ મૃત્યુઆંક સાત થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખેરોજ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સાબરકાંઠા5 મે, 2025
ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી બસ અકસ્માત મૃત્યુઆંક સાત થયો

ટેગ્સ:#police investigation#local news#Emergency Response#Injuries Reported#Khedbrahma Ambaji Bus Accident#Death Toll Update#Jeep and Bike Collision#Road Safety Incident#Hospital Transfers#Victims' Information#Traffic Accident Analysis#Fatalities During Treatment#Gujarat Road Accidents#Public Transportation Safety
સંબંધિત સમાચાર
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
7 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પોલીસ એક્શન મોડમાં : રામનવમી પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
2 દિવસ પહેલા
