કાંકરેજના જમણાપાદર ગામની બનાસ નદીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું છે. અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી નામના યુવકની ઘાતકી હત્યા કરી તેની લાશને નદીના પટમાં જેસીબી મશીન વડે ઊંડો ખાડો કરીને દાટી દેવાના ગુનાનો શિહોરી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કરૂણ અને શરમજનક ઘટનામાં મરનારના સગા ભાણેજે જ પોતાના એકના એક મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મુજબ, પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને સૌપ્રથમ રાનેર ગામના દશરથસિંહ જેણાજી જાદવ નામના શખ્સની અટકાયત કરી હતી. તેને શિહોરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ દરમિયાન દશરથસિંહે પોપટ બનીને આ ગુનામાં સામેલ અન્ય બે સહ-આરોપીઓના નામ ઓક્યા હતા.
કાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
1 દિવસ પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
1 દિવસ પહેલા
