કાંકરેજના જમણાપાદર ગામની બનાસ નદીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું છે. અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી નામના યુવકની ઘાતકી હત્યા કરી તેની લાશને નદીના પટમાં જેસીબી મશીન વડે ઊંડો ખાડો કરીને દાટી દેવાના ગુનાનો શિહોરી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કરૂણ અને શરમજનક ઘટનામાં મરનારના સગા ભાણેજે જ પોતાના એકના એક મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગત મુજબ, પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરીને સૌપ્રથમ રાનેર ગામના દશરથસિંહ જેણાજી જાદવ નામના શખ્સની અટકાયત કરી હતી. તેને શિહોરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની કડક પૂછપરછ દરમિયાન દશરથસિંહે પોપટ બનીને આ ગુનામાં સામેલ અન્ય બે સહ-આરોપીઓના નામ ઓક્યા હતા.
કાંકરેજ બનાસ નદીમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવાવ-થરાદ જિલ્લાના કુવાણા ગામ ખાતે થયેલ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા ગ્રામ પંચાયત સામેની ભૂખ હડતાળ સમેટાઈ: સાંસદની હાજરીમાં તપાસની ખાતરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાબ.કાં.ના ડીપીઈઓના પરિપત્ર સામે શિક્ષકો લાલઘૂમ..!
1 દિવસ પહેલા
