જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ લાઇન બંધ કરાવી : બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ નજીકના ચત્રાલા પાસે આવેલ ખેતરમાં મંગળવારે અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં 100 થી વધુ બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં જાગૃત ખેડૂત અને આજુબાજુના ખેડૂતો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ કર્મચારીને તાત્કાલીક ટેલિફોનીક વાત કરતાં વીજ લાઇન બંધ કરી હતી. અને મોટી દુર્ઘટના ટાળી હતી.
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ પાસે આવેલ ચત્રાલા ગામના નાગજીભાઇ વીહાભાઇ દેસાઇના ખેતરમાં મંગળવારે અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતાં 100 થી વધુ બાજરીના તૈયાર કરેલા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં જાગૃત ખેડૂત અને આજુબાજુના ખેડૂતો દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જાગૃત ખેડૂતે તાત્કાલીક ખેતરમાં દોડી આવી વીજ કર્મચારીને તાત્કાલીક ટેલિફોનીક વાત કરતાં વીજ લાઇન બંધ કરી હતી અને મોટી દુર્ઘટના ટાળી હતી પણ ખેડૂતનો મહેનતનો તૈયાર થયેલો કોળિયો પલવારમાં નષ્ટ થઇ જતાં પરિવારને નુકશાન થયું હતું.





