અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
1 દિવસ પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
1 દિવસ પહેલા
