અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢ તાલુકામાં બિયારણની બબાલ: મગફળી ફેઈલ જતાં ખેડૂતો આકરા પાણીએ
1 કલાક પહેલા
બનાસકાંઠાભીલડી રેલવે નાળા પાસે રોડ પર મોટા બમ્પ મુકાતા વાહનચાલકો પરેશાન
1 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: ૧૩૦૬ પેટી બિયરનો જથ્થો ઝડપાયો
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસાનું ઐતિહાસિક લેબડીયું તળાવ દબાણ હેઠળ; ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત
2 કલાક પહેલા
