બનાસકાંઠા જિલ્લાના વિશાળ જનહિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈને નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ ૦૮ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમથક પાલનપુર રહેશે. જેમાં પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા,અમીરગઢ, અને ડીસા મળીને કુલ ૦૬ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. સરકારની ઉકત જાહેરાત સબંધે બનાસકાંઠા જિલ્લાની ગામ/તાલુકાની જાહેર જનતા રજુઆતો કરવા માંગતી હોય, તો તેઓની લેખિત રજુઆતો સંબંધિત નાયબ કલેકટરને દિન-૩, ૨ ફેબ્રુઆરી- ૨૦૨૫, રવિવાર (સાંજે ૬:૧૦ કલાક સુધી) લેખિત સ્વરૂપે મોકલી શકાશે. જેની સર્વે નાગરિકોને જાણ થવા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જિલ્લાની જાહેરાત સબંધે જિલ્લાના નાગરિકો આગામી ૦૨ ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકશે

સંબંધિત સમાચાર
બનાસકાંઠાદિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બીડીકામદાર સોસાયટીમાં મુખ્ય ગટર તૂટવાથી ૧૦ ઘરોમાં ગંદા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ચેક રિટર્ન કેસ: આરોપીને ૧ વર્ષની કેદ અને ચેકની રકમ વસૂલવાનો આદેશ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં રેલી યોજે તે પહેલાં જ NSUI અને કોંગ્રેસના કાર્યકરો તથા વિદ્યાર્થીઓની અટકાયત!
1 દિવસ પહેલા
