બનાસકાંઠા જિલ્લાના વિશાળ જનહિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈને નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ ૦૮ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમથક પાલનપુર રહેશે. જેમાં પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા,અમીરગઢ, અને ડીસા મળીને કુલ ૦૬ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. સરકારની ઉકત જાહેરાત સબંધે બનાસકાંઠા જિલ્લાની ગામ/તાલુકાની જાહેર જનતા રજુઆતો કરવા માંગતી હોય, તો તેઓની લેખિત રજુઆતો સંબંધિત નાયબ કલેકટરને દિન-૩, ૨ ફેબ્રુઆરી- ૨૦૨૫, રવિવાર (સાંજે ૬:૧૦ કલાક સુધી) લેખિત સ્વરૂપે મોકલી શકાશે. જેની સર્વે નાગરિકોને જાણ થવા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જિલ્લાની જાહેરાત સબંધે જિલ્લાના નાગરિકો આગામી ૦૨ ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકશે

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
4 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ચત્રાલા નજીક ખેતરમાં જીવંત વીજ વાયર તૂટતાં આગ ભભૂકી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં પાલિકાની કડક કાર્યવાહી: હરિઓમ સ્કૂલ પાછળ ગેરકાયદેસર દબાણ હટાવાયું
1 દિવસ પહેલા
