બનાસકાંઠા જિલ્લાના વિશાળ જનહિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈને નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ ૦૮ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમથક પાલનપુર રહેશે. જેમાં પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા,અમીરગઢ, અને ડીસા મળીને કુલ ૦૬ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. સરકારની ઉકત જાહેરાત સબંધે બનાસકાંઠા જિલ્લાની ગામ/તાલુકાની જાહેર જનતા રજુઆતો કરવા માંગતી હોય, તો તેઓની લેખિત રજુઆતો સંબંધિત નાયબ કલેકટરને દિન-૩, ૨ ફેબ્રુઆરી- ૨૦૨૫, રવિવાર (સાંજે ૬:૧૦ કલાક સુધી) લેખિત સ્વરૂપે મોકલી શકાશે. જેની સર્વે નાગરિકોને જાણ થવા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025
જિલ્લાની જાહેરાત સબંધે જિલ્લાના નાગરિકો આગામી ૦૨ ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકશે

સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
12 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
12 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
12 કલાક પહેલા
