રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા20 મે, 2026| Super Admin

બનાસકાંઠા કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ: ૧૩૦૦થી વધુ દવાઓની દુકાનો બંધ

બનાસકાંઠા કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ: ૧૩૦૦થી વધુ દવાઓની દુકાનો બંધ

દેશવ્યાપી કેમિસ્ટ હડતાળની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. જિલ્લા મથક પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવાર થી મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. ઓનલાઇન દવાના વેચાણને મંજૂરી આપવાના વિરોધ સહિતના મુદ્દાઓને લઈને કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને બનાસકાંઠામાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. કેમિસ્ટ એસોસિએશનના આહ્વાન મુજબ જિલ્લાના તમામ મેડિકલ સંચાલકોએ બંધ પાળ્યું હતું. પાલનપુર શહેરમાં વહેલી સવારથી જ મુખ્ય બજાર તેમજ ડોક્ટર હાઉસ કમ્પાઉન્ડ વિસ્તાર માં આવેલા મેડિકલ સ્ટોર્સના શટર બંધ જોવા મળ્યા હતા.

એસોસિએશનના જણાવ્યા મુજબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 1300થી વધુ અને પાલનપુર શહેરમાં આશરે 400 જેટલા મેડિકલ સ્ટોર્સ આજે બંધ રાખવામાં આવ્યા હતા. મેડિકલ સંચાલકો ઓનલાઇન દવાના વેચાણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું માનવું છે કે ઓનલાઇન દવાઓના વેચાણથી સ્થાનિક મેડિકલ વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી શકે છે તેમજ દર્દીઓના આરોગ્ય સાથે પણ જોખમ ઉભું થઈ શકે છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન છતાં દર્દીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.

 દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

 જોકે, દર્દીઓને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઈમરજન્સી સેવાઓ માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. સાથે જ પાલનપુર શહેરમાં કેટલાક ગણતરીના મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખી જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી.

સંબંધિત સમાચાર