રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 જુલાઈ, 2025| Super Admin

સિલાસણા-છીંદીવાડી રોડ પર ધોવાણથી બંધ થયેલ માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ

સિલાસણા-છીંદીવાડી રોડ પર ધોવાણથી બંધ થયેલ માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ

રાજ્યના નાગરિકોને અવરજવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ કાર્ય ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ, પાલનપુર હસ્તકના પેટા વિભાગ પાલનપુર દ્વારા ઓડીઆર કક્ષાના સિલાસણા-છીંદીવાડી રોડ ઉપર વરસાદના પગલે પાઈપ નાળાનું ધોવાણ થવાથી માર્ગ બંધ થયો હતો. જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. બનાસકાંઠા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે માર્ગને ફરીથી ચાલુ કરવાની કામગીરી આરંભી છે. આ કામગીરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

સંબંધિત સમાચાર