રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા4 જુલાઈ, 2026| Super Admin

વિજયનગરના તલાટીઓનો મિજાજ: ૧૪ કામગીરીઓથી મુક્તિ મુદ્દે બહિષ્કાર કર્યો

વિજયનગરના તલાટીઓનો મિજાજ: ૧૪ કામગીરીઓથી મુક્તિ મુદ્દે બહિષ્કાર કર્યો

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ અને સાબરકાંઠા જિલ્લા મંડળના આદેશ અનુસાર વિજયનગર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મહેસૂલી સહિતની જુદી જુદી ૧૪ જેટલી કામગીરીઓથી મુક્ત રાખવાની માંગ સાથેનનું એક આવેદનપત્ર  મામલતદાર કચેરીએ જઈને આપવામાં આવ્યું હતું. જેમાં કરવાના આવેલ રજૂઆત મુજબ વિજયનગર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ મહેસૂલ વિભાગની ૧ થી ૧૪ (તથા અન્ય) કામગીરી તેમજ પંચાયત સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

શું છે તલાટી મંડળની મુખ્ય માંગણીઓ ?

 તલાટી મંડળના પ્રમુખ અર્જુનકુમાર ડી. જોષીયારા, ઉપપ્રમુખ પંકજભાઈ પટેલીયા અને મહામંત્રી ભારતીબેન પટેલીયાની આગેવાની હેઠળ રજૂ કરવામાં આવેલા આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, અગાઉ થયેલા સમાધાન મુજબ હજુ સુધી મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રીના કેડર (જોબચાર્ટ) અલગ કરવામાં આવ્યા નથી. મહામંડળની મુખ્ય માંગણીઓ આ  મુજબ છે. સમગ્ર મહેસૂલ વિભાગનું કામ માત્ર મહેસૂલી તલાટીઓને જ સોંપવામાં આવે,પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનું કામ જ તલાટી કમ મંત્રીઓને સોંપાય, તલાટીઓ પર લાદવામાં આવતી અન્ય વધારાના વિભાગોની કામગીરી બંધ કરવામાં આવે વગરે માંગણીઓનો સમાવેશ થાય છે 

ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરીનો બહિષ્કાર

રાજ્ય મંડળના તારીખ ૦૨/૦૧/૨૦૨૬ અને જિલ્લા મંડળના તા. ૦૩/૦૧/૨૦૨૬ના આદેશોને સમર્થન આપતા વિજયનગર તાલુકા મંડળે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિ વ્યવસ્થાપન) સિવાયની તમામ મહેસૂલી અને અન્ય વિભાગો દ્વારા સોંપાતી કામગીરીથી અળગા રહેશે. આ આવેદનપત્ર વિજયનગર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના . મંડળ દ્વારા આ અંગેના જરૂરી બિડાણો અને આદેશોની નકલ પણ મામલતદાર કચેરીને સુપ્રત કરવામાં આવી છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર