બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય- કમલમ્ ખાતે જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ૧ર મી જૂનના રોજ અમદાવાદ થી લંડન જતી એર ઈન્ડીયાની ફલાઈટમાં થયેલ અકસ્માતમાં ર૭૩ થી વધુ લોકોની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયુ હતુ. બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વર્ગીય વિજય રૂપાણી તથા અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ તથા થરાદના આશાસ્પદ વેપારીને પણ શ્રધ્ધાંજલિ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં જીલ્લા ભાજપના અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બનાસકાંઠા20 જૂન, 2025
બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

ટેગ્સ:#bjp#Vijay Rupani#Plane crash#Bharatiya Janata Party#tribute#local news#Banaskantha District#Community Support#political leaders#Business Community#Tragedy#Public Mourning#Former Chief Minister#Ahmedabad to London#Prayer Meeting#Memorial Service#Air India Flight#District BJP Office#Social Institutions
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
4 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
