રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 માર્ચ, 2025| Super Admin

સુઇગામના મોતીપુરા ગામડીમાં પાણીની સમસ્યા ઉકેલાઈ ગ્રામજનો એ રખેવાળનો માન્યો આભાર

સુઇગામના મોતીપુરા ગામડીમાં પાણીની સમસ્યા ઉકેલાઈ ગ્રામજનો એ રખેવાળનો માન્યો આભાર
રખેવાળ ન્યુઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું; સુઈગામ તાલુકાના નવાપુરા ગામની નજીક આવેલ મોતીપુરા ગામડીમાં ઘણા સમયથી અસુદ્ધ અને ખરાબ પાણીની સમસ્યા ઊભી હતી. ગ્રામજનો વારંવાર રજૂઆતો કરતાં હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવી રહ્યો ન હતો, જેના કારણે સ્થાનિક લોકો ઘણા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખી રખેવાળ દૈનિકે આ મુદ્દાને સમાચારમાં પ્રસિદ્ધ કરતાંની સાથે જ, ડીસાથી કાર્યપાલક ઈજનેર એમ ડી. બોબડીયા એ તાત્કાલિક કાર્યવાહી કરી. તેમના પ્રયાસોને કારણે ગામમાં પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં આવ્યોહતો. આ સમસ્યા હલ થતાં ગ્રામજનોએ મીડિયાનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. ગઈકાલે અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા. અને સ્થળ પર પાણીની ગુણવત્તાની તપાસ કર્યા બાદ તુરંત જ યોગ્ય સમાધાન લાવ્યું.હતું. આ પ્રભાવી કામગીરી માટે ગામના લોકોએ એન્જિનિયર રાઠોડ અધિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર તથા ચેરમેન સહિતના આગેવાનો આવ્યા હતા. ગામજનોની માંગ છે કે જો કાર્યપાલક ઈજનેર દ્વારા અમુક સમયે સુઈગામ તાલુકાની મુલાકાત લે, તો આ વિસ્તારની પાણીની સમસ્યાઓ લાંબા ગાળે ઉકેલાઈ શકે. તેઓએ શુદ્ધ અને ગુણવત્તાસભર પાણીનો રોજિંદો પુરવઠો સુનિશ્ચિત થાય તે માટે ઉચ્ચ અધિકારીઓને નિયમિત દેખરેખ રાખવા તે માંગ કરી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે, જો મીડિયા અને ગ્રામજનો એકસાથે આવે, તો મોટી સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવી શકાય ગામમાં પાણીની સમસ્યા હલ થતા ગ્રામજનો હાશકારો અનુભવ્યો હતો.

સંબંધિત સમાચાર