રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા11 જૂન, 2026| Super Admin

ડીસા હાઇવે પર સ્કોર્પિયો કારને નડ્યો ભયાનક અકસ્માત: એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત

ડીસા હાઇવે પર સ્કોર્પિયો કારને નડ્યો ભયાનક અકસ્માત: એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત

 ચાલકે કાબુ ગુમાવતા ગાડી ત્રણ ગુલાટી ખાઈ ખાડામાં ખાબકી

બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાધનપુર હાઇવે પર ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પાંચ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વેજલપુરના રહેવાસી મિત્રો રણુજા જઈ રહ્યા હતા. ડીસાથી પસાર થતી વખતે તેઓ રસ્તો ભૂલી આખોલ બ્રિજ પર ચડી ગયા હતા. તનુ મોટર્સ આગળ આવતા, ડ્રાઈવરે વધુ સ્પીડના કારણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ત્રણ ગુલાટી ખાઈ રોડની સાઈડમાં આવેલા ખાડામાં પડી હતી. 

અકસ્માત સમયે એક વ્યક્તિનું માથું ગાડીની બહાર આવી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.  મૃતક યુવકનું નામ સાગરભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. કારમાં સવાર તમામ લોકો અમદાવાદના વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શંકરજી લાલાજી ઠાકોર (ઉંમર 35), મહેન્દ્રભાઈ રાજપૂત (ઉંમર 25), અને અનિલભાઈ રાજપૂત (ઉંમર 28) ને વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પંચનામું કર્યું હતું. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે..

સંબંધિત સમાચાર