ધાનેરા નેનાવા–સાંચોર હાઈવે નંબર 168 ની અત્યંત દયનીય અને ગંભીર હાલતને લઈને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. હાઈવે પર ઠેર-ઠેર પડેલા મોટા અને જોખમી ખાડાઓને કારણે દૈનિક અવરજવર કરતા હજારો વાહનચાલકોને જીવના જોખમે પ્રવાસ કરવાની નોબત આવી છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર, આ રોડના બાંધકામ અને સમયસરની જાળવણીમાં ભારે બેદરકારી અને નબળી ગુણવત્તા દાખવવામાં આવી છે. અત્યંત ટૂંકા સમયગાળામાં જ રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ જતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વાહનચાલકો ચોંકાવનારી પ્રતિક્રિયા આપતાં કહી રહ્યા છે કે "હાઈવે પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજવું મુશ્કેલ બની ગયું છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય. સમગ્ર વિસ્તારના લોકોની નજર સંબંધિત સરકારી વિભાગ અને તંત્રના વલણ પર મંડાયેલી છે. તંત્ર ઊંઘમાંથી જાગીને નેનાવા–સાંચોર હાઈવે નં. 168 ને ક્યારે સુરક્ષિત અને સુગમ બનાવે છે તે જોવું રહ્યું.
નેનાવા-સાંચોર હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય બિસ્માર રસ્તાથી વાહનચાલકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-ડીસા હાઇવે પર અમૂલના આઈશર ટ્રકમાં આગ: અફરાતફરી મચી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસ જનરલ હોસ્પિટલમાં પગાર મુદ્દે વર્ગ-4 કર્મચારીઓની હડતાલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી: ૫ સપ્ટેમ્બરે મતદાન, ભાજપના મેન્ડેટ પર નજર
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના જાવલ ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત: નવા બ્લોક મંજૂર કરવા માંગ
2 દિવસ પહેલા
