એનાલોગ પનીર-ચીઝ પર પ્રતિબંધ બાદ તંત્ર સક્રિય: મોબાઇલ ટેસ્ટિંગ વાનથી સ્થળ પર જ તપાસ
એનાલોગ પનીર, ચીઝ સહિત ની પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ બાદ પાલનપુરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(ફૂડ) વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેર તેમજ હાઇવે પર આવેલી હોટેલ-રેસ્ટોરન્ટ્સ માં ફૂડ સેફટી વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફટી મોબાઇલ ટેસ્ટિંગ વાનની મદદથી અંદાજે 21 હોટેલ- રેસ્ટોરન્ટ્સમાં પનીર અને ચીઝ ની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.57.jpg156 KBચેકિંગ દરમિયાન હોટેલ- રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે ગુણવત્તાયુક્ત પનીર, ચીઝ તથા અન્ય રો- મટીરીયલ્સનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને હાઇજિન જાળવવા અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે હવે હોટેલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસાતી વાનગીઓમાં કયા પ્રકારના પનીર-ચીઝનો ઉપયોગ થાય છે તેના પર પણ તંત્રની નજર રહેશે.