પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ રેન્જ બનાસકાંઠા,પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓએ પોલીસ પ્રજાનો મિત્ર અભિગમ અંતર્ગત ગુમસુદા માણસોને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવવા સારૂ કામગીરી કરવા સુચના કરતા ડી.વાય એસ.પી એસ.એમ.વારોતરીયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ એચ.એમ.પટેલ પો.ઈન્સ. સુઈગામ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોને સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુઈગામ વાવ રોડના દેવપુરા ગામના પાટીયા પાસેથી એક અસ્થિર મગજના જેવો લાગતો ઈસમ મળી આવતાં પો.સ્ટે લાવી તેને ભોજન પાણી આપી સ્વચ્છ કપડાં પહેરાવી તેની પુછપરછ કરતા પોતે પંચકેશર ગામનું રટન કરતો હોઈ જેને વિશ્વાસમાં લઈ વધુ પુછપરછ કરતા પોતે પોતાનુ નામ સફકત પિતાનુ નામ નૂરદશન અંસારી (મુસ્લીમ)ઉ.વ. આશરે ર૭ રહે.પંચકેશર પોસ્ટ.તેરા તા.કરપી જી.અરવલનો હોવાનુ જણાવતા પોલીસે ઈન્ટરનેટ તથા સોશીયલ મિડીયાના માધ્યમથી અને બિહાર પોલીસની મદદ લઈ સદર ઈસમના ગામના માણસોનો સંપર્ક કરતાં જાણવા મળેલ કે,સદર ઈસમના પરીવારમાં માત પિતા હયાત છે. અને પરીવારમાં પોતે પાંચ ભાઈ છે. અને દરેક અલગ અલગ રહે છે.
અને પોતે પોતાના માત-પિતા સાથે રહેતા હતા .અને લગ્ન થયેલ હતા પરંતુ તે છેલ્લા પાંચ વર્ષ થી પોતે માનસીક બીમાર રહેતા પોતાની પત્ની ચાલી ગયેલ હોઈ. અને બીજે ઘર માડી દીધેલ હોઈ .પિતાજી હાલે બિમારીવસ હોઈ આર્થીક પરીસ્થીતી સારી ના હોઈ તેને લેવા માટે હાલે આવી શકે તેમ નથી .અને સદર ઈસમ છેલ્લા છ મહીનાથી ગુમ થયેલ હોવાનું તેમજ સદર ઈસમને નજીકની મંદબુધ્ધી સેવા ટ્રાસ્ટમાં સોપવામાં આવેતો પોતાને કોઈ વાંધો નથી. અને પોતે સદર ઈસમનો કબ્જો મંદબુધ્ધી સેવા આશ્રમ માંથી પોતાની રીતે મેળવી લેવાનું પરીવારે જણાવેલ અને સદર ઈસમની જેઓ સાથે વોટ્સએપના માધ્યમથી વીડીયો કોલમાં વાત કરાવી ઓળખ કરાવેલ બાદ માં સદર ઈસમ બાબતે સ્થાનિક પોલીસમાં કોઈ ગુનાકીય કે ગુમ લગત રેકર્ડ નોધાયેલ છે કેમ? તે બાબતે ખરાઈ કરતા કરપી(બિહાર) પોલીસ સ્ટેશન નોંધાયેલ ન હોઈ અને પરીવારમાંથી સદર ઈસમના કુટુંબમાંથી હાલે કોઈ આવી શકે તેમ ના હોઈ જેથી મંદબુધ્ધી આશ્રમ સેવા ટ્રસ્ટ ઉમતાને સદર ઈસમનો કબ્જો સોપી છ માસથી પરિવારથી વિખુટા પડેલ માનસિક રીતે અસ્થિર (પ્રભુ સમાન) યુવકનુ તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવી "ઓપરેશન મુસ્કાન" ડેઠળ કામગીરી કરી સદર ઈસમનો કબ્જો સોપી માનવતાનુ કામ કરવા બદલ સુઇગામ પી.આઇ.એચ.એમ.પટેલ અને સુઇગામ પોલીસ મથક ના સ્ટાફ. મિત્રોની કસમગીરી ને લોકો એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.





