રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા8 જુલાઈ, 2025

થરાદની નર્મદા કેનાલમાં પડેલ નંદીનું એક કલાકની જહેમત રેસ્ક્યુ કરાયું

થરાદની નર્મદા કેનાલમાં પડેલ નંદીનું એક કલાકની જહેમત રેસ્ક્યુ કરાયું

થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે એક નંદી પડી જતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાહદારીઓએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી નંદીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન નંદી કેનાલના ડિવાઈડર બહાર નીકળી શકતો ન હતો. આખરે લોડરની મદદથી નંદીને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. બચાવ બાદ નંદીને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.

સંબંધિત સમાચાર