દિયોદરમાં કોંગ્રેસના નેતાઓ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા છે.મીડિયા સમક્ષ વાતચીત કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, કોઈ પણ સત્તાવાર ઠરાવ વગર જ અધિકારીઓ ભાગ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતાઓ પર ખોટી કલમો લગાવીને તેમને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગેનીબેને ખુલાસો કર્યો કે કોંગ્રેસ નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS ની કલમ ૧૦૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે તદ્દન ખોટો છે.ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે આ મામલે કલેક્ટર સમક્ષ દિયોદરમાં નિષ્પક્ષ ચૂંટણી માટે તાત્કાલિક નવા અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ મામલે કોંગ્રેસના નેતાઓને ન્યાય નહીં મળે, તો તેઓ આ લડાઈને હાઈકોર્ટ સુધી લઈ જશે. દિયોદરમાં અધિકારીઓ અને કોંગ્રેસ વચ્ચેના આ ગજગ્રાહ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવો. પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઈ હતી.
કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે લાગ્યા ગંભીર આરોપ
સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય
5 દિવસ પહેલા
વાવ-થરાદમાવસરી દારૂ પ્રકરણ : PI લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસપીની કડક કાર્યવાહી
6 દિવસ પહેલા
વાવ-થરાદભાભર મુકામે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા સેવાભાવિ સંસ્થાઓનું સન્માન
6 દિવસ પહેલા
વાવ-થરાદવાવ શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
6 દિવસ પહેલા
