દિયોદરમાં કોંગ્રેસના નેતાઓ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા છે.મીડિયા સમક્ષ વાતચીત કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, કોઈ પણ સત્તાવાર ઠરાવ વગર જ અધિકારીઓ ભાગ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના નેતાઓ પર ખોટી કલમો લગાવીને તેમને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગેનીબેને ખુલાસો કર્યો કે કોંગ્રેસ નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS ની કલમ ૧૦૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે તદ્દન ખોટો છે.ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે આ મામલે કલેક્ટર સમક્ષ દિયોદરમાં નિષ્પક્ષ ચૂંટણી માટે તાત્કાલિક નવા અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ મામલે કોંગ્રેસના નેતાઓને ન્યાય નહીં મળે, તો તેઓ આ લડાઈને હાઈકોર્ટ સુધી લઈ જશે. દિયોદરમાં અધિકારીઓ અને કોંગ્રેસ વચ્ચેના આ ગજગ્રાહ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવો. પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઈ હતી.
કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે લાગ્યા ગંભીર આરોપ
સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્: મંત્રી સ્વરૂપજીના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ
9 કલાક પહેલા
વાવ-થરાદમેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
1 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ પંથકમાં લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
2 દિવસ પહેલા
વાવ-થરાદદિલ્હી આંદોલનના પડઘા થરાદમાં: કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન વચ્ચે પોલીસે વિરોધકર્તાઓની ધડપકડ કરી
3 દિવસ પહેલા
