રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા23 એપ્રિલ, 2026| Super Admin

ગાયત્રી મંત્રોથી ગુંજી ઉઠશે માલગઢ : સંસ્કાર કેન્દ્રના પાટોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન

ગાયત્રી મંત્રોથી ગુંજી ઉઠશે માલગઢ : સંસ્કાર કેન્દ્રના પાટોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન

મંત્રી પ્રવીણભાઈ માળીએ કાર્યકમમાં હાજરી આપી ગાયત્રી પરિવારના કાર્યની પ્રશંસા કરી

ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના નવમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩ એપ્રિલના રોજ વહેલી સવારથી જ કેન્દ્ર ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 'પ્રખર પ્રજ્ઞા' અને 'સજલ શ્રદ્ધા'ની દશસ્નાન વિધિ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં અનેક દંપતીઓએ યજમાન પદે બેસી શાસ્ત્રોક્ત વિધિથી આહુતિઓ અર્પણ કરી હતી. આ યજ્ઞની મુખ્ય વિશેષતા એ રહી હતી કે તમામ કર્મકાંડ અને પૂજાવિધિ ગાયત્રી પરિવાર પાટણની બહેનો દ્વારા અત્યંત શાલીનતાપૂર્વક સંપન્ન કરાવવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન વિવિધ સંસ્કાર વિધિઓ પણ કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળીએ ખાસ હાજરી આપી હતી. તેમણે ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવતી સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની ભારોભાર પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ગાયત્રી પરિવારના ભાઈ-બહેનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાયત્રી મંત્રના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ સમૂહમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના આ પાટોત્સવે પંથકમાં ભક્તિ અને સંસ્કારની નવી ચેતના જગાવી છે.

ટેગ્સ:#Malgadh

સંબંધિત સમાચાર