રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ1 જુલાઈ, 2026| Super Admin

હારિજ પોલીસે શંકાના આધારે 74 કટ્ટા બાજરી ભરેલો ટેમ્પો ઝડપ્યો

હારિજ પોલીસે શંકાના આધારે 74 કટ્ટા બાજરી ભરેલો ટેમ્પો ઝડપ્યો

પુરવઠા ટીમની તપાસ અંતે આ સરકારી જથ્થો ન હોવાનું ખુલ્યું

હારિજ પોલીસને રોડા ગામ પાસે 74 કટ્ટા બાજરી ભરેલો ટેમ્પો શંકાસ્પદ લાગતાં અટકાવ્યો હતો. પોલીસ મથકે લાવી સરકારી અનાજ હોવાની આશંકાએ પુરવઠા વિભાગે તપાસ કરતાં જથ્થો ખેડૂતનો હોવાનું ખુલ્યું હતું.ત્યારબાદ પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી ટ્રક અને અનાજ માલિકને પરત સોંપ્યું હતું.હારિજ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રોડા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બાજરી ભરેલા ટેમ્પાને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રક માંથી અંદાજે 74 કટ્ટા બાજરી મળી આવતાં અનાજના જથ્થા અંગે શંકા ઊભી થઈ હતી.જેના પગલે પોલીસે તાત્કાલિક પુરવઠા મામલતદાર ને ઘટના સ્થળે બોલાવી વધુ તપાસ કરાવી હતી.

પુરવઠા વિભાગે સ્થળ પર પહોંચી બાજરીના જથ્થાની ચકાસણી કરતાં આ અનાજ સરકારી કંટ્રોલ અથવા રેશનિંગનો ન હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસમાં માલૂમ પડ્યું કે બાજરીનો જથ્થો એક ખેડૂતનો હતો. અને વેચાણ માટે પેઢીમાં લઈ જવામાં આવી રહ્યો હતો.પુરવઠા વિભાગે લેખિત અહેવાલ આપ્યા બાદ પોલીસે કાયદેસરની પૂછપરછ કરી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યારબાદ બાજરીનો જથ્થો અને ટેમ્પાને તેના માલિકને પરત સોંપી રવાના કરવામાં આવ્યા હોવાનું પી.આઇ એ.જે મહેરીયા એ જણાવ્યું હતું.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર