રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 મે, 2026| Super Admin

ડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

ડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓની રક્ષા માટે બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. ડીસા મામલતદાર કચેરી ખાતે આજે આયોજિત એક કાર્યક્રમમાં પક્ષીઓ માટે માળા (ચકલીઘર) અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુવારે ​1000 જેટલા પાણીના કુંડા અને ચકલીઘર ડીસા શહેર મામલતદાર  દિવાકર એન. બધેચાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. 

​આ પ્રસંગે સમિતિના સક્રિય સભ્યો હીનાબેન વકીલ, રમેશભાઈ જેઠવા, જગદીશભાઈ પઢીયાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.​ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી અને આશરો મળી રહે તે હેતુથી આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મામલતદાર શ્રી બધેચાએ સમિતિના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે દરેક નાગરિકે પક્ષીઓ માટે પોતાના ઘરના આંગણે કે અગાશી પર પાણી અને ચણની વ્યવસ્થા કરવી જોઈએ. બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષોથી જીવદયાના કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સેંકડો જરૂરિયાતમંદ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો હતો.

સંબંધિત સમાચાર