થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો હતો. જોકે આ પગલુ કેમ ભર્યુ છે તે સહિતના સવાલો ચર્ચામાં યથાવત રહ્યા છે. થરાદમાં ચુડમેર પુલથી આગળ ટાંકાની સામે નર્મદા કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતુ કે, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક યુવકના જમણા હાથ પર સ્ટાર ટેટુ જોવા મળ્યું હતુ. જેના આધારે તપાસ કરતાં મૃતક થરાદના પ્રવિણભાઇ ભીખાભાઈ રાવળ (ઉ.વ.40) અને ત્રણ દીકરીઓના પિતા હોવાનું સામે આવ્યું હતુ. જોકે મોતનું કારણ પણ હજી અકબંધ રહ્યુ છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

ટેગ્સ:#Narmada canal#Community Impact#Emergency Services#Suicide Prevention#Family Tragedy#Mental Health Concerns#Fire Department Response#Tragic Incident#Death investigation#Police Inquiry#Pravinbhai Bhikhabhai Rawal#Unexplained Circumstances#Father of Three Daughters
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
3 દિવસ પહેલા
