રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા5 મે, 2026| Super Admin

સરહદી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં: નર્મદાનું પાણી બંધ થતા ઉનાળુ પાક બળી જવાની ભીતિ!

સરહદી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં: નર્મદાનું પાણી બંધ થતા ઉનાળુ પાક બળી જવાની ભીતિ!

બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના ખેડૂતો માટે નર્મદાનું પાણી બંધ થતા "માથે આભ અને નીચે ધરતી" જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉનાળુ સિઝનના અંતિમ તબક્કે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ કેનાલોમાં પિયતનું પાણી બંધ કરી દેવાતા હજારો હેક્ટર જમીનમાં ઉભેલો પાક નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે.

પાછોતરી બાજરી પર જોખમ

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે કાળઝાળ ગરમીને કારણે જમીનમાં ભેજ ઓછો છે. ખાસ કરીને પાછોતરી બાજરીના પાકને હજુ 2 થી 3 પિયતની જરૂર છે. જો આ સમયે પાણી નહીં મળે તો બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો હજારો રૂપિયાનો ખર્ચ પાણીમાં જશે. સરકારે અગાઉ દોઢ મહિનાની મુદત વધારી આપી હોવાથી ખેડૂતોએ આશા સાથે વાવેતર કર્યું હતું, પરંતુ હવે પાક તૈયાર થવાના સમયે જ પાણી રોકી દેવામાં આવ્યું છે.

તંત્રનો ખુલાસો: મરામત કામગીરી ચાલુ

આ ગંભીર પ્રશ્ન અંગે થરાદના મુખ્ય નર્મદા ઇજનેર આનંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં કેનાલોમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જમડા અને રાજસ્થાન બોર્ડર નજીક કામ ચાલતું હોવાથી 21 મે સુધી પાણી બંધ રહેશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે પીવાના પાણી માટે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ખેડૂતોની ઉગ્ર માંગ

સરહદી પંથકના ખેડૂતો એક જ સુર માં કહી રહ્યા છે કે જો તંત્ર 15 મે સુધી પાણી ચાલુ રાખે તો તેમનો મોઢા સુધી આવેલો કોળિયો છીનવાય નહીં. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આર્થિક હિતમાં સરકાર કે નર્મદા નિગમ કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ.

સંબંધિત સમાચાર