અમીરગઢ તાલુકાના વેરા ગામના મતદારોને બે જુદાજુદા ગામમાં મતદાન કરવા જવું પડતું હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે. જેથી એકજ ગામમાં મતદાન કરાવવામાં નહી આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની રજૂઆત મામલતદારને કરવામાં આવી છે. અમીરગઢ તાલુકા ના વેરા ગામના મતદારોને બે જુદા જુદા ગામોમાં મતદાન કરવા જવું પડે છે. જેથી ગામના વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે ગામનો વિકાસ અટકી ગયો છે. હાલની વ્યવસ્થામાં ગામનો એક ભાગ માનપુરીયા સીટમાં અને બીજો ભાગ કપાસિયા અથવા સરોતરા સીટમાં મતદાન કરવા જતાં હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિભાજનને કારણે ગામના વિકાસના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ થઈ શકતા નથી. આ મુદ્દે આગાઉ પણ મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. અને ગામને એક જ સીટમાં સમાવવાનો આગ્રહ કર્યો હતો. જેથી ગામના મતદારોને એક જ ગામમાં મતદાન માટે ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરાઈ છે. જોકે તંત્ર સમયસર નિર્ણય નહી લે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમીરગઢનું વેરા ગામ આક્રમક: પડતર પ્રશ્નો ઉકેલાતા 'ચૂંટણી બહિષ્કાર'નો નિર્ણય

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
6 કલાક પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
7 કલાક પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ
7 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશભક્તિના રંગે રંગાયું નગર
1 દિવસ પહેલા
