અમીરગઢ તાલુકાના વેરા ગામના મતદારોને બે જુદાજુદા ગામમાં મતદાન કરવા જવું પડતું હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે. જેથી એકજ ગામમાં મતદાન કરાવવામાં નહી આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની રજૂઆત મામલતદારને કરવામાં આવી છે. અમીરગઢ તાલુકા ના વેરા ગામના મતદારોને બે જુદા જુદા ગામોમાં મતદાન કરવા જવું પડે છે. જેથી ગામના વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે ગામનો વિકાસ અટકી ગયો છે. હાલની વ્યવસ્થામાં ગામનો એક ભાગ માનપુરીયા સીટમાં અને બીજો ભાગ કપાસિયા અથવા સરોતરા સીટમાં મતદાન કરવા જતાં હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિભાજનને કારણે ગામના વિકાસના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ થઈ શકતા નથી. આ મુદ્દે આગાઉ પણ મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. અને ગામને એક જ સીટમાં સમાવવાનો આગ્રહ કર્યો હતો. જેથી ગામના મતદારોને એક જ ગામમાં મતદાન માટે ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરાઈ છે. જોકે તંત્ર સમયસર નિર્ણય નહી લે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમીરગઢનું વેરા ગામ આક્રમક: પડતર પ્રશ્નો ઉકેલાતા 'ચૂંટણી બહિષ્કાર'નો નિર્ણય

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પરપ્રાંતિયોની બેરોકટોક ઘૂસણખોરી પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલવાની શક્યતા
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડા: નાની મહુડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ₹20.78 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાજૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગેરકાયદેસર શોપિંગનું બાંધકામ દૂર કરવા મિલકત ધારકને 15 મે સુધીનું અલ્ટીમેટમ
3 દિવસ પહેલા
