અમીરગઢ તાલુકાના વેરા ગામના મતદારોને બે જુદાજુદા ગામમાં મતદાન કરવા જવું પડતું હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે. જેથી એકજ ગામમાં મતદાન કરાવવામાં નહી આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની રજૂઆત મામલતદારને કરવામાં આવી છે. અમીરગઢ તાલુકા ના વેરા ગામના મતદારોને બે જુદા જુદા ગામોમાં મતદાન કરવા જવું પડે છે. જેથી ગામના વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે ગામનો વિકાસ અટકી ગયો છે. હાલની વ્યવસ્થામાં ગામનો એક ભાગ માનપુરીયા સીટમાં અને બીજો ભાગ કપાસિયા અથવા સરોતરા સીટમાં મતદાન કરવા જતાં હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિભાજનને કારણે ગામના વિકાસના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ થઈ શકતા નથી. આ મુદ્દે આગાઉ પણ મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. અને ગામને એક જ સીટમાં સમાવવાનો આગ્રહ કર્યો હતો. જેથી ગામના મતદારોને એક જ ગામમાં મતદાન માટે ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરાઈ છે. જોકે તંત્ર સમયસર નિર્ણય નહી લે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમીરગઢનું વેરા ગામ આક્રમક: પડતર પ્રશ્નો ઉકેલાતા 'ચૂંટણી બહિષ્કાર'નો નિર્ણય

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામમાં વિકાસનો હુંકાર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનમેદની ઉમટી
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં અકસ્માતની વણઝાર: મુડેઠા પુલ પર બે વાહનો વચ્ચે ટક્કર, ડાલા ચાલક ઘાયલ
3 કલાક પહેલા
બનાસકાંઠા'તેરા તુજકો અર્પણ': ડીસા પોલીસે ₹1.32 લાખની કિંમતના મોબાઈલ માલિકોને પરત કર્યા
3 કલાક પહેલા
બનાસકાંઠાલાખણીના રામનગરને પાણીની પીડામાંથી મુક્તિ : વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો
3 કલાક પહેલા
