રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા21 એપ્રિલ, 2026| Super Admin

અમીરગઢનું વેરા ગામ આક્રમક: પડતર પ્રશ્નો ઉકેલાતા 'ચૂંટણી બહિષ્કાર'નો નિર્ણય

અમીરગઢનું વેરા ગામ આક્રમક: પડતર પ્રશ્નો ઉકેલાતા 'ચૂંટણી બહિષ્કાર'નો નિર્ણય

અમીરગઢ તાલુકાના વેરા ગામના મતદારોને બે જુદાજુદા ગામમાં મતદાન કરવા જવું પડતું હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે. જેથી એકજ ગામમાં મતદાન કરાવવામાં નહી આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની રજૂઆત મામલતદારને કરવામાં આવી છે. અમીરગઢ તાલુકા ના વેરા ગામના મતદારોને બે જુદા જુદા ગામોમાં મતદાન કરવા જવું પડે છે. જેથી ગામના વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે ગામનો વિકાસ અટકી ગયો છે. હાલની વ્યવસ્થામાં ગામનો એક ભાગ માનપુરીયા સીટમાં અને બીજો ભાગ કપાસિયા અથવા સરોતરા સીટમાં મતદાન કરવા જતાં હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ વિભાજનને કારણે ગામના વિકાસના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ થઈ શકતા નથી. આ મુદ્દે આગાઉ પણ મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. અને ગામને એક જ સીટમાં સમાવવાનો આગ્રહ કર્યો હતો. જેથી ગામના મતદારોને એક જ ગામમાં મતદાન માટે ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરાઈ છે. જોકે તંત્ર સમયસર નિર્ણય નહી લે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સંબંધિત સમાચાર