રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા27 મે, 2026| Super Admin

દાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

દાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

હલકી ગુણવત્તાના મટિરિયલથી કામ કરવાના આક્ષેપ, ફરિયાદ કરનારને ધમકીઓ આપવાનો આરોપ લગાવ્યો

દાંતીવાડા તાલુકાના ભીલાચલ ગામમાં એ.ટી.વી.ટી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી વિકાસ કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓના આક્ષેપો સામે આવ્યા છે. ગામના રહેવાસી વેરાણા દિનેશભાઈ ભોળાભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કામના નાણાં રોકવાની માંગ કરવામાં આવી છે.અરજદારના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર મુકેશભાઈ વેનાભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ કામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વપરાયો છે. કામ પૂર્ણ થયાને માત્ર પંદર દિવસ જેટલો સમય થયો હોવા છતાં દીવાલોમાં તિરાડો પડી રહી છે અને ચણતરના કામમાં જરૂરી પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી.વધુમાં, જે સ્થાન માટે પેવર બ્લોકનું કામ મંજુર કરવામાં આવ્યું હતું તે જગ્યાએ નહીં પરંતુ અન્ય સ્થળે કામ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ગુણવત્તા વિના કામ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત, અરજદાર દ્વારા તાલુકા પંચાયતના અધિકારીને મૌખિક રીતે જાણ કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ફોન પર ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ છે. “તમે કેમ મારી ફરિયાદ કરો છો, તારે જે થાય તે કરી લે” જેવી ભાષા વાપરી દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અરજદારએ જણાવ્યું છે. આ અંગે ફોન રેકોર્ડિંગ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

અરજદારએ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરીયાદ કરીને સ્થળ પર ચકાસણી કરીને એ.ટી.વી.ટી તેમજ અન્ય ગ્રાન્ટ હેઠળ થયેલ કામના નાણાં રોકવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ બાબતે કોન્ટ્રાકટર મુકેશ પ્રજાપતિ ને ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ કામ કરવા માટે મારી પાસે 5000 રૂપિયા ની માંગણી કરી હતી. ઍટલે કે "પૈસા આપુ તો કામ સારું અને ન આપું તો કામ હલકી ગુણવત્તા વાળું" તેમ આક્ષેપો કરી જણાવ્યું હતું. વધુમાં દિવાલ કેમ ફાટી ગઇ છે તે બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે રસ્તો સાંકડો હતો અને વ્હોળો હોવાથી નીચે પુરણ કર્યુ હોવાથી ક્યાંક ક્યાંક દીવાલ ફાટી ગઇ છે તેમ જણાવ્યું હતું.

વધુમાં ભીલાચલ ગામના સરપંચ    મોડાભાઇ કરણાભાઇ આલ નો ટેલીફોનીક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે  જીલ્લામાંથી ધારા સભ્ય ની 5 લાખની ગ્રાન્ટ આવી હતી. અને વર્કઓર્ડર પણ 5 લાખનો કઢાવ્યો હતો. આ કામ મે જ કરાવ્યું છે. જ્યારે કોન્ટ્રાકટર મુકેશ પ્રજાપતિ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે એ લેબર વર્ક કરે છે. અને કામ બરાબર જ થયું છે. રોડ બનાવવાની જગ્યાએ વ્હોળો હોવાથી પુરણ કર્યુ છે. તે જગ્યાએ થોડી દીવાલ ફાટી છે તે અમે મરામત કરાવી દઈશું તેમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપો સામે તંત્ર કેટલું ગંભીરતાથી તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે નહીં.

સંબંધિત સમાચાર