શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી તા. ૧-૯-૨૦૨૫ થી તા. ૭-૯-૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાનાર છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ દરમિયાન આવનાર યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા સુચારુ આયોજન કરવામાં આવેલ છે. આજરોજ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજનને લઈને અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસ.ટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા મેળા દરમ્યાન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવનાર હંગામી વિસામા, પાર્કિંગ, રોશની વગેરે બાબતોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી.
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025
અંબાજી ખાતે ભાદરવી મહામેળાના સુચારુ આયોજનને લઈને સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ટેગ્સ:#Ambaji#Banaskantha District#Event Planning#Devotee Services#Religious Festival#Pilgrim Safety#Gujarat Pilgrimage#Bhadarvi Poonam Maha Mela#Arasuri Mata Temple
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
20 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
20 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
20 કલાક પહેલા
