ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત ઈડર આંજણા પાટીદાર એચ.કે.એમ, આર્ટ્સ અને પી.એન.પટેલ કોમર્સ કોલેજ, ઇડરમાં કોલેજની આરોગ્ય સમિતિ અને રેડક્રોસ સોસાયટી,અમદાવાદના સંયુકત ઉપક્રમે તા:૧૧/૦૯/૨૦૨૬ શુક્રવારના રોજ કોલેજના આચાર્ય ર્ડા.પી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરતાં બી.એ/બી.કોમસેમ-૧ના વિધાર્થીઓ માટે થેલેસેમિયા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૬૦૨ વિધાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો.
આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી, અમદાવાદના પ્રતિનિધિ શ્રી નિલેશભાઈ પ્રજાપતિએ વિધાર્થીઓને થેલેસેમિયા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી અશ્વિનભાઈ એન. પટેલ, મંત્રી જીતુભાઈ એમ. દેસાઈ તથા કોલેજના આચાર્યશ્રી ર્ડા.પી.આર.પટેલ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આરોગ્ય સમિતિના કન્વીનર પ્રો.જે.કે.પ્રજાપતિ તથા સમિતિના સભ્યો પ્રો. ર્ડા.એસ.બી.સગર અને પ્રો. ર્ડા.વી.બી.પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું.





