રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા27 સપ્ટેમ્બર, 2025| Super Admin

વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો
વન વિભાગ દ્વારા નિર્માણ પામેલ "વનકવચ" નું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત તૈયાર થયેલ "વનકવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામમાં વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ. "વનકવચ"નું શનિવારે સર્વ સમાજના આગેવાન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાઘરોલ ગામના ચામુંડા માતાજી મંદિર પટાગણમાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. દાંતીવાડા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.એમ.ભુતડીયા સહિત વન વિભાગના કર્મચારીઓની કામગીરીને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, મહામંત્રી તેજાજી મારવાડીયા, મનહરસિંહ વાઘેલા, હરનાથભાઈ પટેલ, આહજીભાઈ પરમાર, સરપંચ ભુરાભાઈ દેસાઈ સહિત સરપંચો, આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગામે-ગામ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ વાઘરોલ અને રામસીડાના ગ્રામજનોના સાથ અને સહકારથી બન્ને ગામોમાં વન વિભાગ દ્વારા 1.40 લાખ જેટલાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જે બિરદાવવા લાયક છે. વન વિભાગના સહયોગથી અન્ય ગામોમાં પણ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર