વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વન વિભાગ દ્વારા નિર્માણ પામેલ "વનકવચ" નું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું
દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત તૈયાર થયેલ "વનકવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામમાં વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ. "વનકવચ"નું શનિવારે સર્વ સમાજના આગેવાન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વાઘરોલ ગામના ચામુંડા માતાજી મંદિર પટાગણમાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. દાંતીવાડા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.એમ.ભુતડીયા સહિત વન વિભાગના કર્મચારીઓની કામગીરીને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, મહામંત્રી તેજાજી મારવાડીયા, મનહરસિંહ વાઘેલા, હરનાથભાઈ પટેલ, આહજીભાઈ પરમાર, સરપંચ ભુરાભાઈ દેસાઈ સહિત સરપંચો, આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગામે-ગામ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ
વાઘરોલ અને રામસીડાના ગ્રામજનોના સાથ અને સહકારથી બન્ને ગામોમાં વન વિભાગ દ્વારા 1.40 લાખ જેટલાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જે બિરદાવવા લાયક છે. વન વિભાગના સહયોગથી અન્ય ગામોમાં પણ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ટેગ્સ:#farmers#dantiwada#Department#mla#chairmanship#BJP President#Forest Festival#Mawjibhai Desai#Sarva Samaj#Van Kavach#Range Forest Officer
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
