વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વન વિભાગ દ્વારા નિર્માણ પામેલ "વનકવચ" નું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું
દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત તૈયાર થયેલ "વનકવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેર ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામમાં વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ. "વનકવચ"નું શનિવારે સર્વ સમાજના આગેવાન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વાઘરોલ ગામના ચામુંડા માતાજી મંદિર પટાગણમાં વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. દાંતીવાડા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.એમ.ભુતડીયા સહિત વન વિભાગના કર્મચારીઓની કામગીરીને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ બોકા, મહામંત્રી તેજાજી મારવાડીયા, મનહરસિંહ વાઘેલા, હરનાથભાઈ પટેલ, આહજીભાઈ પરમાર, સરપંચ ભુરાભાઈ દેસાઈ સહિત સરપંચો, આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગામે-ગામ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ
વાઘરોલ અને રામસીડાના ગ્રામજનોના સાથ અને સહકારથી બન્ને ગામોમાં વન વિભાગ દ્વારા 1.40 લાખ જેટલાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જે બિરદાવવા લાયક છે. વન વિભાગના સહયોગથી અન્ય ગામોમાં પણ વૃક્ષ મંદિર બનાવવા જોઈએ તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ટેગ્સ:#farmers#dantiwada#Department#mla#chairmanship#BJP President#Forest Festival#Mawjibhai Desai#Sarva Samaj#Van Kavach#Range Forest Officer
સંબંધિત સમાચાર
બનાસકાંઠામુખ્યમંત્રીનો સરહદ હૂંકાર : ઢીમામાં વિકાસ સંકલ્પ સભા અને થરાદમાં નારી શક્તિનું અભિવાદન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી ટાણે જ હાલાકી : પાલનપુરમાં રખડતા શ્વાનોનો આતંક, તંત્રની ઘોર ઉદાસીનતા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ
1 દિવસ પહેલા
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
2 દિવસ પહેલા
