અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 યાત્રીકોના મોત નિપજ્યા હતા. સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ સી.એમ.વિજય રૂપાણી મોતને ભેટતાં તેઓના માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. ત્યારે આજે પાલનપુર ની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કાળનો કોળિયો બની ગયા હતા. જેઓની આજરોજ રાજકોટ ખાતે અંતિમવિધિ યોજાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરાયો છે. જેને લઈને આજે પાલનપુર સ્થિત કલેકટર કચેરી સહિતની સરકારી કચેરી ઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો.
પૂર્વ સી.એમ.ના નિધનને લઈને; પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ

ટેગ્સ:#Vijay Rupani#Plane crash#Tragic Incident#Public Mourning#Former Chief Minister#Ahmedabad to London#Political Mourning#National Flag at Half Mast#Palanpur Government Offices#State Government Declaration
સંબંધિત સમાચાર
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
14 કલાક પહેલા
બનાસકાંઠાવકીલો મેદાને: પાલનપુર કોર્ટ સંકુલના સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ
15 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં આભમાંથી અગનગોળા વરસ્યા: તાપમાન 40 ડીગ્રીને પાર
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં મનરેગા કર્મીઓ મેદાને: કાળી પટ્ટી બાંધી વિરોધ, પગાર મુદ્દે કામકાજ ઠપ્પ
16 કલાક પહેલા
