રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ઉત્તર ગુજરાત14 જુલાઈ, 2026| Super Admin

થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, રથયાત્રા સહિત તમામ ધાર્મિક તહેવારો શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને ભ્રામક માહિતીથી સાવચેત રહેવા અપીલ કરી હતી. કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને વાયરલ ન કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાગરિકોનો સહયોગ અત્યંત જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ ઘટના કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સૌએ સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ પણ પરસ્પર એકતા અને સૌહાર્દ સાથે રથયાત્રા સફળતાપૂર્વક યોજાય તે માટે પોલીસ અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સંબંધિત સમાચાર