આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે થરાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નગરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, રથયાત્રા સહિત તમામ ધાર્મિક તહેવારો શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અને ભ્રામક માહિતીથી સાવચેત રહેવા અપીલ કરી હતી. કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને વાયરલ ન કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાગરિકોનો સહયોગ અત્યંત જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ ઘટના કે અફવા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સૌએ સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ પણ પરસ્પર એકતા અને સૌહાર્દ સાથે રથયાત્રા સફળતાપૂર્વક યોજાય તે માટે પોલીસ અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
3 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
3 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
3 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતભીલડીમાં લાયસન્સ વિના ચાલતું સ્પા ઝડપાયું
3 અઠવાડિયા પહેલા
