રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
ઉત્તર ગુજરાત14 જુલાઈ, 2026| Super Admin

અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત

અમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત

અમીરગઢ તાલુકાના પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર ગંગાસાગર પાટિયા નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ અને એનએચએઆઈ પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, સારવાર દરમિયાન ત્રણ ઘાયલ પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે. અન્ય બે ઘાયલોની સારવાર હાલ ચાલુ છે.અમીરગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ પી.આઈ.બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે એમ્બ્યુલન્સ અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો.પી.આઈ. ગોહિલના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સનો ડ્રાઇવર જોધપુરથી અમદાવાદ મૃતદેહ લઈ જઈ રહ્યો હતો, જેમાં મૃતદેહ સાથે પરિવારના સભ્યો પણ હતા. તેમાંથી એકનું મોત થયું છે અને બેની સારવાર ચાલી રહી છે. જોકે, તેમના સબંધીઓ આવે તે પછી જ સાચી હકીકત બહાર આવશે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર