પાલનપુર શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ પર આજે બપોરે એક દુઃખદ અકસ્માત બન્યો હતો. સલ્લા ગામના 50 વર્ષીય જયંતિભાઈ રણછોડભાઈ પંચાલ નામના આધેડ બસસ્ટેન્ડ રોડ પર વળાંક પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, એ દરમ્યાન પાલનપુર-અંબાજી રૂટની એસટી બસની અડફેટે આવતા તેઓ બસના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે જયંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.આકસ્મિક દુર્ઘટનાને લઇ સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ડ્રાઇવર સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં બસ નીચે આવી જતા સલ્લા ગામના આધેડનું મોત

ટેગ્સ:#accident#Police#Palanpur#hospital#bus#Postmortem#Salla village#dies#Jayantibhai#Palanpur-Ambaji
સંબંધિત સમાચાર
બનાસકાંઠાયાત્રાધામ અંબાજીની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા: મંદિરના ભંડારામાંથી લાખોની ચોરી કરતો પટાવાળો ઝડપાતા ચકચાર
21 કલાક પહેલા
બનાસકાંઠાબટાટાના નીચા ભાવે ખેડૂતોની કમર તોડી: પોષણક્ષમ ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ખાખીનો ખોફ ઓગળ્યો? આવારા તત્વો બેફામ બનતા નાગરિકોમાં ફફડાટ
22 કલાક પહેલા
બનાસકાંઠાનશા મુક્ત બનાસકાંઠા અભિયાન: પાલનપુરમાં SOGએ ₹12 લાખનો ગાંજો ઝડપી પાડી મોટું નેટવર્ક એક્સપોઝ કર્યું
22 કલાક પહેલા
