પાલનપુર શહેરના જૂના બસ સ્ટેન્ડ રોડ પર આજે બપોરે એક દુઃખદ અકસ્માત બન્યો હતો. સલ્લા ગામના 50 વર્ષીય જયંતિભાઈ રણછોડભાઈ પંચાલ નામના આધેડ બસસ્ટેન્ડ રોડ પર વળાંક પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, એ દરમ્યાન પાલનપુર-અંબાજી રૂટની એસટી બસની અડફેટે આવતા તેઓ બસના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે જયંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.આકસ્મિક દુર્ઘટનાને લઇ સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ડ્રાઇવર સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં બસ નીચે આવી જતા સલ્લા ગામના આધેડનું મોત

ટેગ્સ:#accident#Police#Palanpur#hospital#bus#Postmortem#Salla village#dies#Jayantibhai#Palanpur-Ambaji
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં SBI કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન: પડતર માગણીઓને લઈને બેંક કર્મીઓ હડતાલ પર
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠામાતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન
1 દિવસ પહેલા
