વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી આ મેળામાં બનાસકાંઠાના સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલા, ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાયું છે. રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને ઘર સજાવટની આકર્ષક સામગ્રી સુધીની તમામ વસ્તુઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ ના અભિગમ સાથે અહીં ઉપલબ્ધ કરાવાઈ છે.આ મેળાની વિશેષતા એ છે કે અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ નાગરિકો માટે મનોરંજન અને જ્ઞાનનો સમન્વય પણ છે. મેળા દરમિયાન દરરોજ રાત્રે દેશભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ બાબતે નીતાબેન ઠક્કરે (પાલિકા પ્રમુખ) જણાવ્યું હતું કે, “જ્યારે આપણે સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે આપણે આપણા જ કોઈ ભાઈ કે બહેનના ઘરમાં આજીવિકાનો દીવો પ્રગટાવીએ છીએ.” જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય હેતુ શહેરના અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ‘શહેરી વિકાસ વર્ષ’ અંતર્ગત ભૌતિક સુવિધાઓની સાથે નાગરિકોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે દિશામાં આ એક મહત્વનું કદમ છે.આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઇ રાયગોર, રસીકજી ઠાકોર સહિત ભાજપના વિવિધ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડીસામાં ‘સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ’ નો ભવ્ય શુભારંભ

‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે અર્થતંત્રને વેગ મળશે
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા સ્થાનિક કલાકારો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક નવતર પહેલ કરવામાં આવી છે. ડીસાના આંગણે “હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી” ના ઉમદા સંકલ્પ સાથે ‘સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભાજપના અગ્રણીઓ અને પાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી આ મેળામાં બનાસકાંઠાના સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલા, ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાયું છે. રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને ઘર સજાવટની આકર્ષક સામગ્રી સુધીની તમામ વસ્તુઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ ના અભિગમ સાથે અહીં ઉપલબ્ધ કરાવાઈ છે.આ મેળાની વિશેષતા એ છે કે અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ નાગરિકો માટે મનોરંજન અને જ્ઞાનનો સમન્વય પણ છે. મેળા દરમિયાન દરરોજ રાત્રે દેશભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ બાબતે નીતાબેન ઠક્કરે (પાલિકા પ્રમુખ) જણાવ્યું હતું કે, “જ્યારે આપણે સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે આપણે આપણા જ કોઈ ભાઈ કે બહેનના ઘરમાં આજીવિકાનો દીવો પ્રગટાવીએ છીએ.” જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય હેતુ શહેરના અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ‘શહેરી વિકાસ વર્ષ’ અંતર્ગત ભૌતિક સુવિધાઓની સાથે નાગરિકોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે દિશામાં આ એક મહત્વનું કદમ છે.આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઇ રાયગોર, રસીકજી ઠાકોર સહિત ભાજપના વિવિધ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી આ મેળામાં બનાસકાંઠાના સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હસ્તકલા, ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાયું છે. રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને ઘર સજાવટની આકર્ષક સામગ્રી સુધીની તમામ વસ્તુઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ ના અભિગમ સાથે અહીં ઉપલબ્ધ કરાવાઈ છે.આ મેળાની વિશેષતા એ છે કે અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ નાગરિકો માટે મનોરંજન અને જ્ઞાનનો સમન્વય પણ છે. મેળા દરમિયાન દરરોજ રાત્રે દેશભક્તિ અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ બાબતે નીતાબેન ઠક્કરે (પાલિકા પ્રમુખ) જણાવ્યું હતું કે, “જ્યારે આપણે સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે આપણે આપણા જ કોઈ ભાઈ કે બહેનના ઘરમાં આજીવિકાનો દીવો પ્રગટાવીએ છીએ.” જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય હેતુ શહેરના અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ‘શહેરી વિકાસ વર્ષ’ અંતર્ગત ભૌતિક સુવિધાઓની સાથે નાગરિકોનું આર્થિક અને સામાજિક ઉત્થાન થાય તે દિશામાં આ એક મહત્વનું કદમ છે.આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઇ રાયગોર, રસીકજી ઠાકોર સહિત ભાજપના વિવિધ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#economy#Gujarat Government#Urban Development#BJP Leaders#Vocal for Local#Municipal Office#Grand inauguration#Swadeshi Melo-Shopping Festival#Har Ghar Swadeshi#Ghar-Ghar Swadeshi#Swadeshi Melo#Shopping Festival
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
3 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
4 દિવસ પહેલા
