રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા26 મે, 2025| Super Admin

વરસાદ અને વાવાઝોડા ની આગાહીના પગલે દાંતા પંથકના ખેડૂતો ચિંતિત, પહેલા પણ પાક બગડ્યો

વરસાદ અને વાવાઝોડા ની આગાહીના પગલે દાંતા પંથકના ખેડૂતો ચિંતિત, પહેલા પણ પાક બગડ્યો

હાલ તબક્કે હવામાન વિભાગ દ્વારા અપાયેલી વાવાઝોડા ને વરસાદની આગાહીના પગલે દાંતા તાલુકા પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અનિયમિત વરસાદ ને અવારનવાર વાવાઝોડાના કારણે ખેડૂતો હવે પૂરતો પાક લઇ શકતા નથી દાંતા તાલુકા પંથકમાં આ વખતે ઉનાળામાં મહત્તમ બાજરી,ડાંગર,મકાઈ અને મગફળીનો પાક લેતા હોય છે. ત્યારે હમણાં થોડા દિવસો અગાઉ દાંતા તાલુકામાં કરાના વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું તેના પગલે બાજરી નો 50% જેટલો પાક જમીન પર આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્તમ દેશી કેરીના પાકને પણ મોટું નુકશાન થયું છે. ત્યારે હાલમાં 50% જેટલો બાજરીનો પાક ઉભો છે ત્યારે ફરીએક વાર વરસાદ અને વાવાઝોડાની આગાહી અપાતા ખેડૂત ભારે મુંજવણમાં મુકાયું છે ને હવે ફરી જો કમોસમી વરસાદ ને વાવાઝોડું આવે તો 50 %જેટલો ઉભેલો પાક પણ બગડી જાય તેવી ભીતિ સેવી રહ્યા છે. જયારે મકાઈના પાકને પણ મોટી નુકશાની આ પંથકમાં થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે જે રીતે પાકને અગાઉ નુકશાની થઇ છે સરકારે તેનો સર્વે કરાવો જોઈએ જેથી વધુ નુકશાન થાય તો ખેડૂતો સરકારની સહાય મળે તે માટેની મીટ માંડી છે.

સંબંધિત સમાચાર