રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા25 માર્ચ, 2026| Super Admin

ખેડૂતો પર સંકટ : ડીસા પંથકમાં માવઠાની આગાહીથી 'જગતના તાત'ના જીવ અધ્ધર

ખેડૂતો પર સંકટ : ડીસા પંથકમાં માવઠાની આગાહીથી 'જગતના તાત'ના જીવ અધ્ધર
અગાઉના કમોસમી વરસાદના ઘા રુઝાયા નથી ત્યાં ફરી આફતની ઘડી ડીસા તાલુકા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં નાટકીય પલટો જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલા આવેલા વાવાઝોડા અને માવઠાની અસર હજુ શમી નથી, ત્યાં ફરી એકવાર આકાશમાં કાળાડિબાંગ વાદળોના ધામા જોવા મળતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. વહેલી સવારથી સૂર્યનારાયણ વાદળોની ઓથે છુપાયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ચિંતાજનક વાતાવરણ સર્જાયું છે.​હવામાન વિભાગ દ્વારા આગામી ૨ થી ૩ દિવસ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની (કમોસમી વરસાદ) ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાક પર મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રવિ પાકના તૈયાર થયેલા ઉતારા સમયે જ કુદરત રૂઠી હોય તેવું જણાઈ રહ્યું છે. ​સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો આગામી કલાકોમાં પવન સાથે વરસાદ ત્રાટકશે તો ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.જીરું, વરિયાળી અને રાયડા જેવા પાકો તૈયાર થવાના આરે છે, ત્યારે વરસાદ તેના માટે કાળ સમાન સાબિત થઈ શકે છે. અગાઉ થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે. ફરી એકવાર વાતાવરણ બગડતા ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે.    

સંબંધિત સમાચાર