રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા9 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા: અનાપુર છોટા ગામે દિયર-ભાભીનો આપઘાત

ધાનેરા: અનાપુર છોટા ગામે દિયર-ભાભીનો આપઘાત
ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના દિયર અને ભાભીએ બાવળના ઝાડ સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, 19 વર્ષીય મહેન્દ્ર અને 35 વર્ષીય અતરાબેને ગામના સીમાડે એક ઝાડ નીચે લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. અતરાબેનના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા અને તેમને આઠ વર્ષનો એક દીકરો પણ છે. આ ઘટના અંગે ગામમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બન્ને દિયર-ભાભી વચ્ચે પ્રેમસંબંધ હતો. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અતરાબેનના પિયર પક્ષ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રેફરલ હોસ્પિટલ ખાતે બન્ને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધાનેરા પોલીસ આ ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામને સ્તબ્ધ કરી દીધું છે.

સંબંધિત સમાચાર