રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા22 જૂન, 2025| Super Admin

મોતનો સિલસિલો યથાવત; મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે યુવતીના મૃતદેહ મળ્યા

મોતનો સિલસિલો યથાવત; મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે યુવતીના મૃતદેહ મળ્યા

થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે યુવતીના મૃતદેહ મળ્યા છે. મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અજાણી બે યુવતીના મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો દૌર શરુ થયો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. અને ઘટનાનું કારણ જાણવા માટે સ્થાનિકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતક યુવતીઓમાં વાવ તાલુકાના ખીમાણાવાસની 23 વર્ષીય રેખાબેન માજીરાણા અને ડીસાની 18 વર્ષીય આરતીબેન ઠાકોર છે. બંને યુવતીઓ અપરણિત હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. બંને યુવતીઓના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે મૃતદેહોને થરાદ પોલીસ અને પરિવારજનોને સોંપ્યા છે.

સંબંધિત સમાચાર