બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે, ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે. ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઈ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામ પંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાના-નાના બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે.
યાત્રાધામ અંબાજીમાં ઈ-કેવાયસી કરવા વહેલી સવાર થી લોકો લાઈનોમાં જોડાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાદિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બીડીકામદાર સોસાયટીમાં મુખ્ય ગટર તૂટવાથી ૧૦ ઘરોમાં ગંદા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ચેક રિટર્ન કેસ: આરોપીને ૧ વર્ષની કેદ અને ચેકની રકમ વસૂલવાનો આદેશ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં રેલી યોજે તે પહેલાં જ NSUI અને કોંગ્રેસના કાર્યકરો તથા વિદ્યાર્થીઓની અટકાયત!
1 દિવસ પહેલા
