બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે, ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે. ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઈ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામ પંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાના-નાના બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે.
યાત્રાધામ અંબાજીમાં ઈ-કેવાયસી કરવા વહેલી સવાર થી લોકો લાઈનોમાં જોડાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસની માનવીય સંવેદના: ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ૮ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાવાવ-થરાદમાં ચૂંટણી પ્રક્રિયા બાદ તલાટી કમ મંત્રીઓની મોટાપાયે આંતરિક બદલી
1 દિવસ પહેલા
બનાસકાંઠાસરહદી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં: નર્મદાનું પાણી બંધ થતા ઉનાળુ પાક બળી જવાની ભીતિ!
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસ સિવિલના તબીબોની કમાલ: 5 કલાકની ભારે જહેમત બાદ જટિલ સર્જરી સફળ
3 દિવસ પહેલા
