બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે, ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે. ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઈ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામ પંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાના-નાના બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે.
યાત્રાધામ અંબાજીમાં ઈ-કેવાયસી કરવા વહેલી સવાર થી લોકો લાઈનોમાં જોડાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ચૂંટણી 2026: 1128 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે મહામુકાબલો
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ગેનાજી ગોળીયામાં દૂધની મંડળીમાં જ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી', ટેસ્ટર દૂધ ચોરતા ઝડપાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠાભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો
3 દિવસ પહેલા
