બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે 12:00 વાગ્યાથી લોકો ઈ-કેવાયસી માટે લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી પણ લોકો રાત્રે જ ઈ-કેવાયસી કરાવવા માટે અંબાજી આવી ગયા હતા. તો કહી શકાય કે, ઈ-કેવાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ લોકો માટે ઠંડી સજારૂપ બની છે. ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઈ-કેવાયસીની હેરાનગતિને લઈ દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આજે પણ અંબાજી ગ્રામ પંચાયત ખાતે લોકો રાત્રિના સમયથી લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. નાના-નાના બાળકો પણ લાઈનમાં બેઠેલા જોવા મળ્યા હતા. ઈ-કેવાયસીને લઈ દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેને લઇને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે.
યાત્રાધામ અંબાજીમાં ઈ-કેવાયસી કરવા વહેલી સવાર થી લોકો લાઈનોમાં જોડાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
10 કલાક પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
11 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
1 દિવસ પહેલા
