રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુરમાં તળાવોના દબાણો દૂર કરવાની માંગ : તળાવમાં પાણી નાંખવાની યોજના દબાણોને કારણે નિષ્ફળ નીવડે તેવી સંભાવના

પાલનપુરમાં તળાવોના દબાણો દૂર કરવાની માંગ : તળાવમાં પાણી નાંખવાની યોજના દબાણોને કારણે નિષ્ફળ નીવડે તેવી સંભાવના
મલાણી સાઈઠના ગામોના તળાવમાં દબાણોને કારણે કસરા- દાંતીવાડા પાઇપ લાઇન યોજના ફળીભુત થાય તેવી વકી પાલનપુર પંથકમાં મલાણી સાઈઠ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે તળાવો ભરવા માટે કસરા-દાંતીવાડા પાણીની પાઇપ લાઇન મંજુર કરી છે. જોકે, ગામના તળાવોમાં દબાણો હોઈ પાણી ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોઈ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડુતો ઝઝૂમી રહ્યા છે. ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ જાય છે. આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા- દાંતીવાડા પાઇપ લાઇન મંજુર કરી છે. જે પાઇપ લાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે. જેથી પાણીના તળ ઊંચા આવશે. પરંતુ મલાણી સાઈઠ વિસ્તારના 15 થી 20 ગામોમાં નામના જ તળાવ છે. તળાવોમાં દબાણો હોઈ સરકારની તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોઈ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. આ અંગે ખેડૂતોએ મુખ્યમંત્રી અને મંત્રી કુંવરજી બાવળીયાને રજુઆત કરી છે. જેને લઈને દબાણોનો સર્વે પણ હાથ ધરાયો હતો. પણ દબાણો દૂર થયા નથી. ગામમાં તળાવો બોલે છે. પણ દબાણોને પગલે ક્ષેત્રફળ મુજબ તળાવો ન હોઈ નામના તળાવો રહી ગયા છે. જેથી સરકારની તળાવો ભરવાની યોજના ફેલ જાય તેમ હોઈ સત્વરે દબાણો દૂર કરવાની માંગ જોર પકડી રહી હોવાનું સામાજિક કાર્યકર હરિભાઈ પંચાલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર