રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 માર્ચ, 2026| Super Admin

ડીસા યાર્ડની સૂચના: આગામી 8 દિવસ માવઠાનું જોખમ, ખેતી પાકો સુરક્ષિત રાખવા અપાઈ સૂચના

ડીસા યાર્ડની સૂચના: આગામી 8 દિવસ માવઠાનું જોખમ, ખેતી પાકો સુરક્ષિત રાખવા અપાઈ સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે ઉત્તર ગુજરાતના મુખ્ય ગંજ બજાર એવા ડીસા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓના હિતમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.​હવામાન વિભાગની આગાહી મુજબ, 26 માર્ચ, 2026 થી 2 એપ્રિલ, 2026 દરમિયાન હળવાથી ભારે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ 8 દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની સંભાવના હોવાથી માલ-સામાનને નુકસાન ન થાય તે માટે અગાઉથી સાવચેતી રાખવી જરૂરી છે. માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓએ કોઈપણ ખેત પેદાશ ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારવી નહી.  માર્કેટયાર્ડમાં સંગ્રહિત માલ તેમજ નવો આવતો માલ પલળે નહીં તે માટે તાડપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પોતાની જણસી લઈને માર્કેટયાર્ડમાં આવતા પહેલા ટેલિફોનિક સંપર્ક કરી વરસાદી વાતાવરણની સ્થિતિ વિશે માહિતી મેળવી લેવી, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય. માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ અંગેની જાણકારી પ્રસારિત કરવામાં આવી છે. માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ તમામ હિતધારકોને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.  

સંબંધિત સમાચાર