બનાસકાંઠા જિલ્લાના ગામ તળાવો માટે ઐતિહાસિક નિર્ણય : ગૌચર જમીનમાં કુદરતી તળાવો મહેસુલી રેકર્ડમાં નોંધણી કરાશે

બનાસકાંઠા જિલ્લાના ગામ તળાવો માટે ઐતિહાસિક નિર્ણય : ગૌચર જમીનમાં કુદરતી તળાવો મહેસુલી રેકર્ડમાં નોંધણી કરાશે

સુજલામ સુફલામ્ અંતર્ગત નર્મદા કેનાલથી પાણી ભરવાની વ્યવસ્થા કરાશે

બૃહદ બનાસકાંઠા જિલ્લાના ગામ રેકર્ડ ઉપર નોંધાયેલા તેમજ રેકર્ડ બહાર રહેલા તમામ કુદરતી તળાવો ભરવા અને તેમને વધુ ઊંડા કરવાની માંગને લઈને કરવામાં આવેલી રજૂઆતને ગુજરાત સરકારે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધી છે. સ્વાગત પોર્ટલ, પીએમ પોર્ટલ તથા જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કરાયેલા પ્રશ્નો તેમજ ધારાસભ્ય સમક્ષ કરેલી રજૂઆતના પરિણામે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લીધો છે.

આ નિર્ણય મુજબ રાજ્યની ગૌચર જમીનમાં આવેલ “કુદરતી રીતે રચાયેલ હયાત વોટર બોડીઝ (તળાવો)”ની માપણી કરાવી તેમને નર્મદા મુખ્ય કેનાલ આધારિત સુજલામ સુફલામ્  સિંચાઈ યોજના અંતર્ગત પાણીથી ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે આ તમામ તળાવો બીજા હકક તરીકે મહેસુલી રેકર્ડમાં નોંધાય તેવી જોગવાઈ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયથી ગામના ભૂગર્ભ જળસ્તર વધશે, પશુપાલન અને ખેતીને લાભ મળશે તેમજ પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળશે. દરેક ગામ સહિત સમગ્ર વિસ્તાર માટે આ એક ઐતિહાસિક અને દુરદર્શી પગલું સાબિત થશે. આ જનહિતકારી નિર્ણય બદલ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જિલ્લા વાસીઓ તથા ખેડૂતો ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે

ડીસા તાલુકાના વડાવળ ગામના ચાર તળાવોને રેકોર્ડમાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી

ડીસા તાલુકાના વડાવળ ગામે એડવોકેટ ભરતભાઈ દેસાઈ દ્વારા ગામના રેકર્ડ પર અને નહી નોંધાયેલ તમામ તળાવ ભરવા એને ઉંડા કરવા ગુજરાત સરકારમાં રજૂઆતને ધ્યાને લઇ સ્વાગત, પીએમ પોર્ટલ અને જિલ્લા સંકલન માં રજુ કરેલા પ્રશ્નો અને ધારાસભ્યને ચાર તળાવોને મંજુર કરવાની રજુઆત ધ્યાનમાં લઇ નિર્ણય લેવામાં આવતા ગામ લોકોને પણ મોટો ફાયદો થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *