મહેસાણામાં APN સલ્ફર પ્લાન્ટમાં બે શ્રમિકોના મોત થયા છે. બહુચરાજી હાઈવે સામેત્રા નજીક રાત્રી દરમ્યાન સલ્ફર પ્લાન્ટમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આગ પર કાબુ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી, ત્યારે સ્થળ પર બે શ્રમિકોના ભડથું થયેલા મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. આ ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- September 14, 2025
0
425
Less than a minute
You can share this post!
editor

