ખાનગી તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે કાર્યવાહી હાથ ધરી
પાટણના સિદ્ધિ સરોવરમાં ગુજરાત ST બસના ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ખાનગી તરવૈયાઓની મદદથી તેમનો મૃતદેહ સરોવરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.મૃતક વિષ્ણુભાઈ મકવાણા (ઉંમર આશરે 45 વર્ષ) મૂળ ભીલવણના વતની હતા. અને હાલ પાટણની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હો

